ઋષિકેશ પટેલ વિસનગર બેઠક પરથી સતત 4 વખત ચૂંટાયા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં આરોગ્ય પ્રધાન રહ્યા. 1990માં એલકે અડવાણી સાથે રથયાત્રા સાથે કારકીર્દીની શરૂઆત કરી. 2007માં તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની જવાબદારી સંભાળી. 2016માં વિસનગર APMCમાં ચેરમેન રહ્યા. ધારાસભ્ય તરીકે 95 ટકા ગ્રાન્ટનો ઉપયોગ કર્યો હતો.
મંત્રીમંડળ માં 4 આદિવાસી નેતાઓ ને મળ્યું સ્થાન
મંત્રીમંડળમાં 4 આદિવાસી નેતાઓને દાદાના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. 3 sc નેતાઓઓને સ્થાન મળ્યુ છે. હાલમાં જે પી નડ્ડા મુખ્યમંત્રી નિવાસ્થાન પહોંચ્યા છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ CM નિવાસસ્થાન પહોંચ્યા છે.