ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજે વસંત પંચમીના પાવન અવસરે માઘ માસના ચોથા મહાસ્નાન માટે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવા દેશભરના કરોડો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ભારે ધુમ્મસ અને કડકડતી ઠંડી વચ્ચે પણ ભક્તોમાં ઉત્સાહ યથાવત જોવા મળી રહ્યો છે. પ્રશાસન દ્વારા સાડા ત્રણ કિલોમીટર લાંબા સ્નાન ઘાટને ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો છે. અંદાજ મુજબ એક કરોડથી વધુ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચે તેવી શક્યતા છે. સુરક્ષાની દ્રષ્ટિએ સમગ્ર વિસ્તારમાં CCTV અને ડ્રોન કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
અમદાવાદઃ શહેરની સ્કૂલને ફરી મળી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદઃ શહેરની સ્કૂલને ફરી મળી ઉડાવી દેવાની ધમકી મળી. 7 સ્કૂલને ફરી મળ્યો ધમકી ભર્યો મેઇલ. સેંટ ઝેવિયર્સ અને સંત કબીર સ્કૂલ સહિત અનેક શાળાને મળ્યો મેઇલ.ધમકીભર્યો મેઈલ મળ્યા બાદ સ્કૂલમાં ચેકિંગ હાથ ધરાયુ


