પોરબંદર-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 3 લોકોના મોત થયા. એક બાળકીને ગંભીર ઇજા પહોંચી છે. કાર રોડ ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં પતિ, પત્ની અને સાળાનું મોત થયુ છે. રાજકોટથી તલાટીની પરીક્ષા આપી પરત ફરતી વેળાએ આ ઘટના બની. મૃત્યુ પામનાર પતિ શિક્ષક હોવાનો ખુલાસો થયો છે.