બગદાણાના નવનીત બાલધિયા પર થયેલા હુમલાના પડઘા અમદાવાદ જિલ્લાના વિરમગામમાં પડ્યા છે. વિરમગામમા સમસ્ત કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ. મહુવા તાલુકાના બગદાણા ગામની ચકચારી ઘટનાને લઈને નળકાંઠા કોળી યુવા સંગઠન અને તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા, આરોપી તરીકે જયરાજ આહિરનું નામ ઉમેરવા ઉગ્ર માંગ કરાઇ છે. બગદાણા ગામમાં નવનીત બાલદીયા પર હુમલામાં ગંભીર ગુનામા મુખ્ય સૂત્રધાર જયરાજ આહિર મુખ્ય આરોપી તરીકે FIR મા નામ ઉમેરો કરવા માંગ કરાઇ. બગદાણા હુમલા ની સમગ્ર ઘટના ની સંપૂર્ણ તપાસ ગુજરાત પોલીસ વિભાગના નિષ્ઠાવાન ઈમાનદાર આઈપીએસ નીલિપ્તરાયને સોંપવામાં આવે તેવી માંગ કરાઈ. બગદાણા નવનીત બાલધિયા વહેલી તકે ન્યાય માટે મોટી સંખ્યામા સમાજના લોકોએ વિરમગામ મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યુ.
અમદાવાદઃ ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં અણઘડ આયોજનની ખૂલી પોલ
અમદાવાદઃ ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં અણઘડ આયોજન હોવાનું સામે આવ્યુ છે. વિદેશી પતંગબાજો એન્ટ્રીમાં લાંબી કતારોમાં ઉભા રહેવુ પડ્યુ હોવાથી નારાજ થયા છે. સિક્યુરિટી ચેકિંગના નામે વિદેશી મહેમાનો મુશ્કેલીમાં મુકાયા છે. સ્કેનર મશીન નાનું હોવાના કારણે મોટા લગેજના સ્કેનમાં મુશ્કેલી આવી રહી છે. એક જ સ્કેનર મશીન હોવાને કારણે પતંગબાજોની લાંબી કતારો લાગી છે. વિદેશી મહેમાનોને 3 વખત ચેકિંગ માટે ઉભા રખાયા છે. એક સ્કેનર મશીન પણ ખરાબ થઈ જતા મેન્યુલી ચેકિંગ કરવું પડ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી હોવા છતાં સિક્યુરિટી ચેકિંગમાં અયોગ્ય વ્યવસ્થા સર્જાઈ છે. સિક્યુરિટી ચેકિંગ માટે VIP માટે અપૂર્તિ વ્યવસ્થાની પોલ ખૂલી છે.
અમદાવાદ: ભારત-જર્મની વચ્ચે દ્વિપક્ષીય બેઠક
અમદાવાદ: ભારત-જર્મની વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ જેમા બન્ને દેશો વચ્ચે અનેક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.જેમા સેમિકન્ડક્ટર, ક્રિટિકલ મિનરલ, રક્ષા ઉદ્યોગ પર હસ્તાક્ષર કરાયા. સાથોસાથ રાષ્ટ્રીય સમુદ્રી વિરાસતના વિકાસ માટે કરાર કરાયા. આ તકે વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે ભારત-જર્મનીનો ગાઢ સંબંધ સમગ્ર માનવતા માટે મહત્વપૂર્ણ છે. બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર પહોંચ્યો છે. વધતા વેપાર અને રોકાણે વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊર્જા આપી છે.


