રાજકોટ મનપાના શાસક પક્ષના નેતા લીલુંબેન જાદવે મીડિયા સાથેની વાતચીત દરમિયાન પોતાની નારાજગી વ્યક્ત કરી. તેમણે આક્ષેપ કર્યો કે તેમના બે ડ્રાઇવરોને કિન્નખોરી રાખી છૂટા કરવામાં આવ્યા છે. કાવતરાપૂર્વક તેમની છબીને ખરડવાનો પ્રયાસ છે. લીલુબેન આ મુદ્દે ભાવુક થયા અને જણાવ્યું કે આ બાબતે તેમણે કેન્દ્રિય ગૃહમંત્રીને પત્ર લખી જાણ પણ કરી છે. ગજરાજસિંહે જણાવ્યું કે અમે બે ડ્રાઈવર લીલુબેન જાદવની કારમાં નોકરી પર હતા. ગજરાજસિંહે જણાવ્યું કે અમે બે ડ્રાઈવર લીલુબેન જાદવની કારમાં નોકરી પર હતા. પરંતુ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના આદેશથી અમને છૂટા કરવામાં આવ્યા. તેમણે આગળ કહ્યું કે ફાયર ઓફિસરે પોતે જ જણાવ્યું કે પદાધિકારીઓના કહેવાથી આ નિર્ણય લેવાયો છે.
રાજકોટ: મનપામાં ભાજપના નેતા લીલુબેન શાસકે વ્યક્ત કરી નારાજગી
