અમદાવાદના બિલ્ડર હિંમત રૂડાણીની હત્યામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે હત્યાની સોપારી અન્ય બિલ્ડર મનસુખ લાખાણીએ જ આપી હતી.
ત્રણ આરોપીઓની ધરપકડ બાદ તેમની કબૂલાતમાંથી આ મહત્વની માહિતી બહાર આવી. પોલીસએ તરત જ મનસુખ લાખાણીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ પોલીસએ લાખાણીની શકમંદ તરીકે પૂછપરછ કરી હતી, પરંતુ હાલ મળેલી માહિતી બાદ તેની ભૂમિકા સ્પષ્ટ થઈ ગઈ છે. પોલીસ હવે હત્યા પાછળના કારણો અને અન્ય સંડોવણી અંગે તપાસ આગળ ધપાવી રહી છે.


