મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં એક અકસ્માત થયો, જ્યાં તંબુ તૂટી પડવાથી એક ભક્તનું મોત થયું. આ અકસ્માતમાં 4 લોકો ઘાયલ થયા. ભક્તો વરસાદથી બચવા માટે તંબુ નીચે ઉભા હતા.
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ બાગેશ્વર ધામ ગઢ પરિસરમાં ગુરુવારે સવારે બનેલી એક દુ:ખદ ઘટનામાં, તંબુ તૂટી પડતાં એક ભક્તનું મોત નીપજ્યું હતું. જ્યારે 3 થી 4 અન્ય લોકો ઘાયલ થયા હતા. આ ઘટના સવારે 7 વાગ્યે આરતી પછી બની હતી, જ્યારે ભક્તો વરસાદથી બચવા માટે તંબુ નીચે એકઠા થયા હતા.
મૃતકની ઓળખ શ્યામલાલ કૌશલ તરીકે થઈ છે, જે ઉત્તર પ્રદેશના અયોધ્યાના રહેવાસી છે. તેમના જમાઈ રાજેશ કુમાર કૌશલે જણાવ્યું હતું કે તંબુમાંથી લોખંડનો એંગલ માથામાં વાગતાં શ્યામલાલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં રાજેશ કુમાર કૌશલ અને સૌમ્યા, પારુલ અને ઉન્નતિ સહિત પરિવારના 3 થી 4 સભ્યો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને છતરપુર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.