સોમવાર, મે 19, 2025

ઈ-પેપર

સોમવાર, મે 19, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસશેર બજારવૈશ્વિક બજારોમાં વધારો થવા છતાં ભારતીય શેર બજાર કેમ તૂટ્યું? આ રહ્યા...

વૈશ્વિક બજારોમાં વધારો થવા છતાં ભારતીય શેર બજાર કેમ તૂટ્યું? આ રહ્યા 3 મોટા કારણો

સૌથી મોટો ઘટાડો મિડ અને સ્મોલ-કેપ ઇન્ડેક્સમાં જોવા મળી રહ્યો છે, બજારના આ ઘટાડામાં રોકાણકારોને પણ અનેક કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

શુક્રવારે 25 એપ્રિલે ભારતીય શેર બજાર પર પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલા તણાવની અસર જોવા મળી રહી છે. શુક્રવારે નિફ્ટી ફરી એકવાર 24000ની નીચે આવી ગયો હતો, જ્યારે સેન્સેક્સમાં પણ 900 અંકોથી વધુનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

સૌથી મોટો ઘટાડો મિડ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં જોવા મળી રહ્યો છે, બજારના આ ઘટાડામાં રોકાણકારોના પણ ઘણા કરોડો રૂપિયા ડૂબી ગયા છે. વૈશ્વિક બજારોમાં સારી તેજીના સંકેતો છતાં સ્થાનિક બજારમાં બ્રેક લાગી હતી. સવારે 10 વાગ્યે સેન્સેક્સ 881.49 પોઇન્ટના ઘટાડા સાથે 78,919.94 પર હતો, જ્યારે નિફ્ટી 285.05 પોઇન્ટના ઘટાડા સાથે 23,961.65 પર રહ્યો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર