હેલગામ આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાન ભારતના ‘ઓપરેશન સિંદૂર’થી ગુસ્સે છે. આતંકવાદીઓ પરના હુમલા પછી, પાકિસ્તાને ગઈકાલે રાત્રે ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આ પછી ભારતે વળતો પ્રહાર કરીને પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો. હવે ફરી એકવાર પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોથી જમ્મુ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ભારતે 8 મિસાઇલો તોડી પાડી છે.
શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં શાળાઓ બંધ રહેશે. શિક્ષણ મંત્રી સકીના ઇટ્ટુએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, શુક્રવારે ધોરણ ૧૨ સુધીની શાળાઓમાં વર્ગો સ્થગિત રહેશે. કાશ્મીર યુનિવર્સિટી અને ઇસ્લામિક યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (IUST) એ પણ શુક્રવાર માટેના વર્ગો મુલતવી રાખ્યા છે.
પાકિસ્તાન માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભારતે વળતો હુમલો કર્યો છે અને લાહોર, સિયાલકોટ અને બહાવલપુરમાં ઝડપી હુમલાઓ શરૂ કર્યા છે.