ગુરુવાર, એપ્રિલ 23, 2026

ઈ-પેપર

ગુરુવાર, એપ્રિલ 23, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટકેદારનાથ જવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો આ 4 વસ્તુઓ તમારા બેગમાં...

કેદારનાથ જવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો આ 4 વસ્તુઓ તમારા બેગમાં જરૂર હોવી જોઇએ

ઊનના કપડાં

કેદારનાથમાં હવામાન ગમે ત્યારે ઠંડુ હોઈ શકે છે. ખાસ કરીને સવાર અને રાત્રે વધારે ઠંડી હોય છે. ઉનાળામાં પણ ત્યા ઠંડા પવનો ફૂંકાય છે. તેથી, ઊનના કપડાં, જેકેટ, સ્વેટર, મફલર, મોજા પેક કરવાનું ભૂલશો નહીં. આ તમને ઠંડીથી બચાવવામાં મદદ કરશે.

રેઈનકોટ, છત્રી અને ટ્રેકિંગ શૂઝ

કેદારનાથમાં હવામાન ગમે ત્યારે બદલાઈ શકે છે. વરસાદ અચાનક શરૂ થઈ શકે છે. તેથી, તમારી બેગમાં એક રેઈનકોટ અને છત્રી પેક કરવાનું ભૂલશો નહીં. રેઈનકોટ તમારા શરીરને સંપૂર્ણ કવરેજ પૂરું પાડે છે અને તમને વરસાદથી બચાવે છે. કેદારનાથનો માર્ગ લાંબો અને ચઢાણવાળો છે. તેથી આરામદાયક અને મજબૂત ટ્રેકિંગ શૂઝ પહેરવા જરૂરી હોય છે. જે તમારી મુસાફરીમાં કોઈપણ વિક્ષેપને અટકાવે છે.

પૌષ્ટિક ખોરાક

લાંબા ટ્રેકિંગ દરમિયાન શરીર ઝડપથી થાકી જાય છે. તેથી ઉર્જા જાળવી રાખવી પણ મહત્વપૂર્ણ હોય છે. પાણીની બોટલ, ડ્રાય ફ્રૂટ્સ, ફળો અને હળવો નાસ્તો સાથે રાખવો જરૂરી હોય છે. આ વસ્તુઓ તમને તાત્કાલિક ઉર્જાને પૂરી પાડે છે અને મુસાફરી દરમિયાન નબળાઈ આવવા દેતી નથી.

મેડિકલ કિટ

ઊંચાઈવાળા વિસ્તારોમાં ક્યારેક માથાનો દુખાવો, ચક્કર અથવા થાક જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી એક નાની મેડિકલ કિટ સાથે જરૂર રાખવી. જેમાં તાવ, દુખાવો માટેની દવાઓ, બૅન્ડેજ અને એન્ટીસેપ્ટિક ક્રીમ હોય. યાત્રા દરમિયાન ઓળખપત્ર જેમ કે આધાર કાર્ડ અથવા કોઈ સરકારી ઓળખ સાથે રાખવી ખૂબ જ જરૂરી છે. ઉપરાંત મોબાઇલ ચાર્જ કરવા માટે પાવર બેંક અને રાત્રે અથવા અંધારામાં ઉપયોગી થાય તેવી ટોર્ચ પણ સાથે રાખવી જોઈએ. આથી તમે કોઈપણ પરિસ્થિતિમાં મુશ્કેલીથી બચી શકો છો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર