શનિવાર, જૂન 7, 2025

ઈ-પેપર

શનિવાર, જૂન 7, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસસેબીએ મેહુલ ચોક્સી સામે કાર્યવાહી કરી, આ રીતે 2.1 કરોડ રૂપિયા વસૂલાશે

સેબીએ મેહુલ ચોક્સી સામે કાર્યવાહી કરી, આ રીતે 2.1 કરોડ રૂપિયા વસૂલાશે

ગીતાંજલી જેમ્સમાં ઇનસાઇડર ટ્રેડિંગ નિયમોના ઉલ્લંઘનને કારણે SEBI એ 2.1 કરોડ રૂપિયાના બાકી લેણાં વસૂલવા માટે કાર્યવાહી કરી છે. આ સંદર્ભમાં, SEBI એ ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીના બેંક ખાતા, શેર અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણો જપ્ત કરવાનો આદેશ આપ્યો છે.

હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા અને લાંબા સમયથી ભારતમાંથી ભાગી ગયેલા મેહુલ ચોક્સીને સેબીએ મોટો ઝટકો આપ્યો છે. ગીતાંજલી જેમ્સના શેરમાં ઇનસાઇડર ટ્રેડિંગ નિયમોના ઉલ્લંઘનના કેસમાં 2.1 કરોડ રૂપિયાની બાકી રકમ વસૂલવા માટે સેબીએ ફરાર હીરા ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીના બેંક ખાતા, શેર અને મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગ્સ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે.

૧૫ મેના રોજ ચોક્સીને જારી કરાયેલી ડિમાન્ડ નોટિસ બાદ સેબીએ આ પગલું ભર્યું છે, જેમાં ૧૫ દિવસમાં ચુકવણી નહીં કરવામાં આવે તો મિલકત તેમજ બેંક ખાતા જપ્ત કરવાની ચેતવણી આપવામાં આવી હતી. ગીતાંજલિ જેમ્સ લિમિટેડના શેરમાં ઇનસાઇડર ટ્રેડિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ જાન્યુઆરી ૨૦૨૨માં સેબી દ્વારા લાદવામાં આવેલ દંડ ચૂકવવામાં ચોક્સી નિષ્ફળ ગયા બાદ આ ડિમાન્ડ નોટિસ જારી કરવામાં આવી હતી.

ગીતાંજલી જેમ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તેમજ પ્રમોટર ગ્રુપના સભ્ય મેહુલ ચોક્સી નીરવ મોદીના મામા છે. આ બંને પર સરકારી માલિકીની પંજાબ નેશનલ બેંક (PNB) સાથે 14,000 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે. આ મામલો 2018 ની શરૂઆતમાં પ્રકાશમાં આવ્યો હતો, ત્યારબાદ ચોક્સી અને નીરવ મોદી દેશ છોડીને ભાગી ગયા હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર