શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeધાર્મિકરાવણના 'ઘર'માં કેવી રીતે ઉજવવામાં આવે છે દશેરા? જાણો તેના વિશે

રાવણના ‘ઘર’માં કેવી રીતે ઉજવવામાં આવે છે દશેરા? જાણો તેના વિશે

 દેશ-દુનિયામાં દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે લંકાપતિ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પુતળાનું દહન કરવામાં આવે છે. પરંતુ રાવણનું ઘર શ્રીલંકામાં આ તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે? ચાલો તમને પણ આ વિશે જણાવીએ.

 દેશ-દુનિયામાં આજે દશેરાનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસે ભગવાન રામે લંકાના રાજા રાવણનો વધ કર્યો હતો. દશેરાને અનિષ્ટ ઉપર સારાની જીતના પ્રતીક તરીકે પણ ઉજવવામાં આવે છે. આ પર્વ પર રાવણની સાથે મેઘનાદ અને કુંભકર્ણના પુતળાનું દહન પણ કરવામાં આવે છે. પરંતુ દશેરા માત્ર ભારતમાં જ નહીં પરંતુ રાવણના ઘર સમાન શ્રીલંકામાં પણ ઉજવવામાં આવે છે.

Read: ઈઝરાયેલે 12 દિવસ પછી પણ ઈરાન પર…

તમને જાણીને આશ્ચર્ય થશે કે શ્રીલંકામાં દશેરાનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં માતા સીતા અને ભગવાનના ઘણા મંદિરો આવેલા છે, જ્યાં દશેરાના દિવસે ખૂબ ભીડ રહે છે. દશેરાએ શ્રીલંકાની મુલાકાત લેવાની પોતાની એક મજા હોય છે. ભારતમાં દશેરાએ રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે, પરંતુ શ્રીલંકામાં આ દિવસે લોકો શું કરે છે? આવો તમને જણાવીએ કે પાડોશી દેશમાં દશેરાની ઉજવણી કેવી રીતે કરવી.

દશેરા કેવી રીતે ઉજવવામાં આવે છે

ભારતની જેમ શ્રીલંકામાં પણ દશેરાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. લોકો એકબીજાને મળે છે અને ભગવાનની પૂજા કરવા, ભક્તિ ગીતો સાંભળવાની સાથે ભેટોની આપ-લે કરે છે. પરંતુ અહીં એક વાત ખાસ છે કે દશેરાના દિવસે શ્રીલંકામાં રાવણ દહન કરવામાં આવતું નથી. શ્રીલંકામાં લોકો રાવણના પૂતળાનું દહન કરવાને બદલે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજે છે. અહીં લોકો મંદિરમાં જઈને પૂજા કરે છે.

ક્યાં ઉજવણી કરવી

શ્રી અજનેયા મંદિરઃ શ્રીલંકામાં રામભક્ત હનુમાનનું મંદિર પણ છે #NAME? આ મંદિર કોલંબોથી 45 મિનિટના અંતરે આવેલું છે. અહીં તમને પંચમુખી હનુમાનની મૂર્તિ જોવા મળશે. દશેરાના દિવસે આ જગ્યા પર પણ ખૂબ ભીડ જામે છે.

સીતા અમ્માન મંદિરઃ આ એ જ જગ્યા છે જ્યાં રાવણે માતા સીતાને રાખી હતી. એવું માનવામાં આવે છે કે આ મંદિરનો ઇતિહાસ લગભગ 5000 વર્ષ જૂનો છે. સીતા અમ્માન મંદિર નુવારા એલિયાથી માત્ર ૫ કિમી દૂર છે.

દિવુરોમ્પોલા મંદિરઃ આ મંદિરનું નામ લેવું મુશ્કેલ છે. પરંતુ અહીં પણ દશેરાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ મંદિર સીતા એલિયાથી 15 કિલોમીટર દૂર છે. એવું માનવામાં આવે છે કે અહીં જ માતા સીતાનો અગ્નિ પરીક્ષણ થયું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર