મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની ચૂંટણીના પરિણામો બાદ રાજકારણ ગરમાયું છે. લાંબા સમયથી સત્તામાં રહેલી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને મોટો ફટકો પડ્યો છે, જ્યારે ભાજપ અને તેની સહયોગી પાર્ટીઓએ સ્પષ્ટ જીત મેળવી છે. આ પરિણામો બાદ અનેક રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
આ વચ્ચે ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે પણ પરિણામો પર તીખી પ્રતિક્રિયા આપી છે. કંગનાએ કહ્યું કે, જેમણે ક્યારેક મારું ઘર તોડી નાખ્યું હતું, અપમાન કર્યું હતું અને ધમકીઓ આપી હતી, આજે તેમને જનતાએ જવાબ આપી દીધો છે. તેમણે આ જીતને ન્યાયની જીત ગણાવી હતી.
કંગનાએ વધુમાં જણાવ્યું હતું કે મુંબઈની જનતાએ વિકાસ, સશક્ત નેતૃત્વ અને સાચી વિચારધારાને સમર્થન આપ્યું છે. તેમણે ભાજપના નેતૃત્વને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે આ પરિણામો મહારાષ્ટ્રના રાજકારણમાં નવા યુગની શરૂઆત દર્શાવે છે.
બીજી તરફ, BMCની આ હારને ઉદ્ધવ ઠાકરે માટે મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે. વર્ષોથી મુંબઈની મહાનગરપાલિકા પર કાબૂ રાખનાર શિવસેના માટે આ પરિણામો ચિંતાજનક છે. ચૂંટણીના આ પરિણામો આવનારા સમયમાં મહારાષ્ટ્રના રાજકારણ પર ઊંડો પ્રભાવ પાડશે એવી ચર્ચા ચાલી રહી છે.


