શનિવાર, મે 18, 2024

ઈ-પેપર

શનિવાર, મે 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયપાકિસ્તાન : ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રના દિયામેર વિસ્તારમાં બસ ખીણમાં ખાબકી, 20 લોકોના મૃત્યુ

પાકિસ્તાન : ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રના દિયામેર વિસ્તારમાં બસ ખીણમાં ખાબકી, 20 લોકોના મૃત્યુ

નવી દિલ્હી : ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં આજે એક બસ પર્વતીય વિસ્તારમાંથી લપસીને ખીણમાં ખાબકી હતી. જેમાં ઓછામાં ઓછા 20 લોકો મૃત્યુ પામી ગયા. એક પોલીસ અધિકારીએ કહ્યું કે આ ઘટના ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રના ડાયમેર જિલ્લાના કારાકોરમ હાઈવે પર બની હતી.

આ બસ રાવલપિંડીથી હુંજા જતી હતી. જે દરમિયાન બસ ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતાં બસ ખીણમાં ખાબકી હતી. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે બસમાં કેટલાક મુસાફરો સવાર હતા. ઘટનામાં ઘાયલ થયેલા ઓછામાં ઓછા 15 લોકોને ચિલાસની એક હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે બચાવ અભિયાન હાથ ધરાયું છે અને શબને નજીકની હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા છે. હોસ્પિટલના એક સૂત્રએ કહ્યું કે મૃતકોમાં ત્રણ મહિલાઓ પણ સામેલ છે. મૃતકાંક વધી શકે છે કેમ કે ઘાયલોમાં અનેકની હાલત ગંભીર છે. ગિલગિટ બાલ્ટિસ્તાનના સીએમ હાજી ગુલબાર ખાને આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર