શનિવાર, મે 18, 2024

ઈ-પેપર

શનિવાર, મે 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસડુંગળીની નિકાસ પર 40% ડ્યૂટી લાદવાનો ભારત સરકારનો નિર્ણય, દેશી ચણા પર...

ડુંગળીની નિકાસ પર 40% ડ્યૂટી લાદવાનો ભારત સરકારનો નિર્ણય, દેશી ચણા પર કોઈ આયાત ડ્યૂટી નહિં

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે શુક્રવારે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લગાવી છે. આ સાથે સરકારે 31 માર્ચ, 2025 સુધી સ્વદેશી ચણાની આયાત પર ડ્યૂટીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે, આ ઉપરાંત, 31 ઓક્ટોબરના રોજ અથવા તે પહેલાં જારી કરાયેલા ‘બિલ ઑફ એન્ટ્રી’ દ્વારા પીળા વટાણાની આયાત પરની ડ્યુટી મુક્તિ પણ લંબાવવામાં આવી છે. ‘બિલ ઑફ એન્ટ્રી’ એ એક કાનૂની દસ્તાવેજ છે જે આયાતકારો અથવા કસ્ટમ ક્લિયરન્સ એજન્ટ દ્વારા આયાતી માલના આગમન પર અથવા તે પહેલાં ફાઇલ કરવામાં આવે છે.

નાણા મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, આ તમામ ફેરફારો 4 મેથી લાગુ થશે. ભારતે તાજેતરમાં માલદીવમાં ઈંડા, બટાકા, ડુંગળી, ચોખા, ઘઉંનો લોટ, ખાંડ અને કઠોળ જેવી ચોક્કસ ચીજવસ્તુઓની ચોક્કસ માત્રામાં નિકાસ પરનો પ્રતિબંધ દૂર કર્યો હતો. હાલમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ છે. જો કે, સરકાર ભારતના મિત્ર દેશોમાં નિકાસની છૂટ આપે છે. તેણે UAE અને બાંગ્લાદેશમાં ચોક્કસ માત્રામાં ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં, ભારતે 31 ડિસેમ્બર, 2023 સુધી ડુંગળી પર 40 ટકા નિકાસ જકાત લાદી હતી.

ગયા અઠવાડિયે, નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં, સરકારે છ દેશોમાં 99,150 ટન ડુંગળી મોકલવાની મંજૂરી આપી હતી. કેન્દ્રએ પશ્ચિમ એશિયા અને કેટલાક યુરોપિયન દેશોના નિકાસ બજારો માટે 2,000 ટન ખાસ ઉગાડવામાં આવેલી સફેદ ડુંગળીની નિકાસને પણ મંજૂરી આપી છે. આ દેશોમાં ડુંગળીની નિકાસ કરતી એજન્સી નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ એ ઈ-પ્લેટફોર્મ દ્વારા નિકાસ માટે સ્થાનિક ડુંગળીની ખરીદી કરી છે.તાજેતરમાં ભારતે માલદીવમાં ઈંડા, બટાકા, ડુંગળી, ચોખા, ઘઉંનો લોટ, ખાંડ અને કઠોળ જેવી ચોક્કસ ચીજવસ્તુઓની ચોક્કસ માત્રામાં નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે એક સૂચનામાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર હેઠળ માલદીવમાં આ વસ્તુઓની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર