શુક્રવાર, મે 17, 2024

ઈ-પેપર

શુક્રવાર, મે 17, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતબંધારણ જ ગરીબોની રક્ષા કરે છે અને મોદી સરકાર તેને જ ખતમ...

બંધારણ જ ગરીબોની રક્ષા કરે છે અને મોદી સરકાર તેને જ ખતમ કરી દેવા માગે છે : પાટણમાં રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર

અમદાવાદ : લોકસભા ચૂંટણી ટાણે હવે ત્રીજા તબક્કાનું મતદાન નજીક છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેએ કમર કસી લીધી છે. ગુજરાતમાં આ વખતે મતદાન છે. ત્યારે ભાજપ રૂપાલા વિવાદને કારણે પડકારો સહન કરી રહ્યો છે. ત્યાં રાહુલ ગાંધી પાટણના પ્રગતિ મેદાને પહોંચ્યા હતા. આ રેલીમાં પાટણના ચંદનજી ઠાકોર, મહેસાણાના રામજી ઠાકોર, સાબરકાંઠાના તુષાર ચૌધરી અને બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા હતા. જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ‘બે વિચારધારાની લડાઇ ચાલી રહી છે, હિન્દુસ્તાનનું લોકતંત્ર અને બંધારણ બચશે કે નહીં એ મોટો સવાલ છે. ભાજપના લોકો ઇચ્છે છે કે બંધારણ ખતમ થઇ જાય. પણ કોંગ્રેસ પાર્ટી બંધારણની રક્ષા કરે છે. આઝાદી પછી જે પણ મળ્યું એ ભારતની ગરીબ જનતાને મળ્યું છે. એ બંધારણના લીધે મળ્યું છે.’

જ્યાં જુઓ ત્યાં બે ભારત જોવા મળી રહ્યા છે. તમે રામમંદિરનું અનાવરણ જોયું. ધૂમધામથી ઉજવણી થઇ. પણ ત્યાં તમને કોઈ ગરીબ જોવા નહીં મળ્યું હોય. રાષ્ટ્રપતિને ન બોલાવાયા. પ્રોટોકોલમાં સૌથી ઉપર હોવા છતાં તેમને અંદર પણ ન જવા દીધા. એટલા માટે કેમ કે તેઓ ફક્ત આદિવાસી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે બંધારણ જ ગરીબોની રક્ષા કરે છે અને મોદી સરકાર તેને જ ખતમ કરી દેવા માગે છે. તેમણે કહ્યું કે અનામતને ખતમ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. ખાનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અગ્નિવીર જેવી યોજનાઓને લીધે નુકસાન થઈ રહ્યું છે. ન્યાય માટે જ અનામત વ્યવસ્થા છે અને ભાજપ એને જ દુશ્મન બની ગયો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકારે તેમના મિત્ર જેવા 22 ઉદ્યોગપતિઓનું 16 લાખ કરોડનું દેવું માફ કરી દીધું પણ ખેડૂતો વિશે તેમને વિચાર નથી આવતો અને તેમનું દેવું માફ નથી કરતાં. જ્યારે અમારી સરકાર હતી ત્યારે યુપીએ સરકારે ખેડૂતોનું દેવું માફ કર્યું હતું. હાલમાં દેશમાં 22 લોકોની સંપત્તિ 70 કરોડ ભારતીયો જેટલી થઇ ગઈ છે. શું તમે મને જણાવશો કે દેશની કોઈ એવી કંપની છે કે જેનો માલિક કોઈ આદિવાસી હોય. 90 આઈએએસ અધિકારી આખો દેશ ચલાવે છે. આ 90માંથી ત્રણ પછાત, ત્રણ દલિત અને એક માત્ર એક જ આદિવાસી છે. છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં શું થયું એ બધાએ જોયું છે.

રાહુલ ગાંધીએ મહિલાઓ વિશે કહ્યું કે અમે મહાલક્ષ્મી યોજના લાવીને મહિલાઓને મદદ કરીશું. જેમાં દરેક પરિવારની મહિલાના ખાતામાં વાર્ષિક એક લાખ જમા કરાવીશું. આ સાથે તેમણે મોટો વાયદો કર્યો કે દેશ ગરીબી રેખાની બહાર નહીં આવે ત્યાં સુધી મદદ કરીશું. રાહુલે કહ્યું કે અમે જાતિ આધારિત વસતી ગણતરી કરાવીશું, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય.

રાહુલ ગાંધીએ કહ્યું કે અમે સત્તામાં આવીશું તો અગ્નિવીર યોજના રદ કરીશું. આ યોજના મોદી સરકારના કાર્યાલય દ્વારા લાગુ કરવામાં આવી છે. તેનાથી અન્યાય થયો છે અને નુકસાન થયું છે. I.N.D.I.A. ગઠબંધન સત્તામાં આવતા જ તેને રદ કરી દેવાશે. GST વિશે પણ તેમણે કહ્યું કે પાંચ અલગ અલગ પ્રકારના જીએસટી લગાવી દેવાયા છે. જે અયોગ્ય છે. અમે તેમાં બદલાવ કરીશું. અમે સિમ્પલ જીએસટી લાવીશું અને તેનાથી લોકોને મોટો ફાયદો થશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર