શનિવાર, મે 18, 2024

ઈ-પેપર

શનિવાર, મે 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયકેનેડાએ ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં શંકાસ્પદ 3 ભારતીયોની કરી ધરપકડ

કેનેડાએ ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં શંકાસ્પદ 3 ભારતીયોની કરી ધરપકડ

નવી દિલ્હી : કેનેડિયન પોલીસે ગયા વર્ષે બ્રિટિશ કોલંબિયામાં ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે સંકળાયેલી કથિત હિટ સ્ક્વોડના સભ્યોની ધરપકડ કરી છે, તેમ કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને શુક્રવારે જણાવ્યું હતું. અહેવાલ મુજબ, CBCએ જણાવ્યું હતું કે, સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તપાસકર્તાઓએ થોડા મહિના પહેલા કેનેડામાં શંકાસ્પદ લોકોની ઓળખ કરી હતી અને તેઓને નજીકથી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓની હાજરીને લઈને ભારત લાંબા સમયથી નારાજગી વ્યક્ત કરી રહ્યું છે. જેમાંથી એક હરદીપ સિંહ નિજ્જરને ભારતે આતંકવાદી જાહેર કર્યો હતો. જોકે, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી. સૂત્રો અનુસાર, ધરપકડ કરાયેલા વ્યક્તિઓ પર આરોપ છે કે જે દિવસે નિજ્જરની બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુદ્વારાની બહાર હત્યા કરવામાં આવી હતી તે દિવસે શૂટર, ડ્રાઇવર વગેરે તરીકે કામ કર્યું હતું. અહેવાલ મુજબ, પોલીસે કેનેડાના ઓછામાં ઓછા બે પ્રાંતોમાં ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન શુક્રવારે આ લોકોની ધરપકડ કરી હતી.

સૂત્રોએ વધુ જણાવ્યું હતું કે, થોડા મહિનાઓ પહેલાં પોલીસે આ લોકોની ઓળખ નિજ્જરની હત્યામાં સામેલ લોકોના ગ્રુપ તરીકે કરી હતી અને પોલીસ તેમના પર નજર રાખી રહી હતી. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સપ્ટેમ્બરમાં જાહેરાત કરી હતી કે , કેનેડિયન નાગરિક નિજ્જરના ગોળીબારમાં થયેલા મૃત્યુમાં કેનેડિયન સત્તાવાળાઓ ભારતીય સરકારના એજન્ટો સાથેના કોઈપણ સંભવિત જોડાણની તપાસ કરી રહ્યા છે. ભારતે ટ્રુડોના આ દાવાને “વાહિયાત” ગણાવીને નકારી કાઢ્યો હતો. કેનેડા ભારત પર તેની તપાસમાં સહકાર આપવા દબાણ કરી રહ્યું હતું. અમેરિકાએ પાછળથી ખુલાસો કર્યો કે, તેણે તેની ધરતી પર એક શીખ અલગતાવાદીની હત્યાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમના દેશમાં ખાલિસ્તાની તત્વોને લગતી કેટલીક ટિપ્પણીઓ કર્યાના દિવસો પછી, ભારતે કહ્યું હતું કે, આ ટિપ્પણીઓ ફરી એકવાર કેનેડામાં અલગતાવાદ, ઉગ્રવાદ અને હિંસાને આપવામાં આવેલી રાજકીય જગ્યાને પ્રતિબિંબિત કરે છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેમની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “વડાપ્રધાન ટ્રુડોએ અગાઉ પણ આવી જ ટિપ્પણી કરી છે. તેમની ટિપ્પણીઓ ફરી એકવાર કેનેડામાં અલગતાવાદ, ઉગ્રવાદ અને હિંસાને આપવામાં આવેલી રાજકીય જગ્યાને પ્રતિબિંબિત કરે છે.” જ્યારે ટ્રુડોની ટિપ્પણીઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે જયસ્વાલે કહ્યું હતું કે, “તે માત્ર ભારત-કેનેડા સંબંધોને જ અસર કરતું નથી, પરંતુ કેનેડામાં હિંસાના વાતાવરણને પણ પ્રોત્સાહન આપે છે જે તેના નાગરિકોને નુકસાન પહોંચાડે છે.”

સંબંધિત સમાચાર

તાજા સમાચાર