મંગળવાર, મે 21, 2024

ઈ-પેપર

મંગળવાર, મે 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયછત્તીસગઢમાં પીકઅપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 બાળકો સહિત 8ના મોત,...

છત્તીસગઢમાં પીકઅપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 બાળકો સહિત 8ના મોત, 21થી વધુ ઘાયલ

નવી દિલ્હી : છત્તીસગઢના બેમેતરામાં રવિવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો, જેમાં ત્રણ બાળકો સહિત આઠ લોકોના દુઃખદ મૃત્યુ થયા હતા જ્યારે 21 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોમાંથી ચારની હાલત ગંભીર છે અને તેમને રાયપુરની એઈમ્સમાં રીફર કરવામાં આવ્યા છે. બાકીના ઘાયલોને બેમેતરા અને સિમગાના સીએચસીમાં સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મૃત્યુઆંક હજુ વધી શકે તેવી આશંકા છે.

મામલો બેમેતરા પોલીસ સ્ટેશન વિસ્તારના કાઠીયા પેટ્રોલ પંપ પાસેનો છે. માહિતી મળી છે કે પેસેન્જર ભરેલી એક પીકઅપ ટ્રકે રોડ કિનારે પાર્ક કરેલી ટાટા 407ને ટક્કર મારી હતી, જેમાં લગભગ 26 લોકો ઘાયલ થયા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે પીકઅપમાં સવાર તમામ લોકો પારિવારિક કાર્યક્રમ માટે ગામ તિરૈયા ગયા હતા અને ત્યાંથી તેમના ગામ પર્થરા પરત ફરી રહ્યા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કલેક્ટર અને એસપીની સાથે એસડીએમ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં ઘાયલોની સ્થિતિ વિશે પણ પૂછપરછ કરી હતી.

મળતી માહિતી મુજબ તમામ લોકો તિરૈયા ગામથી સમધિન ભેટ કાર્યક્રમ માટે ગયા હતા અને કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે કઠિયા ગામ પાસે આ અકસ્માત થયો હતો. આ ઘટનામાં બાળકો સહિત 8 લોકોના મોતના સમાચાર છે. અકસ્માત સર્જાતા પીકઅપ વાનમાં એક જ પરિવારના 40 થી 50 જેટલા લોકો બેઠા હતા. તમામ લોકો પથરા ગામના રહેવાસી છે અને સાહુ સમુદાયના છે. ઘટનાની માહિતી મળતા જ વિસ્તારના ધારાસભ્ય દીપેશ સાહુ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા જ્યાં તેમણે ડોક્ટરોને ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોની સારી સારવાર માટે સૂચના આપી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર