રવિવાર, મે 19, 2024

ઈ-પેપર

રવિવાર, મે 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયલગ્ન થયા હોય કે ન થયા હોય, સહમતિથી જાતીય સબંધને ખોટા ન...

લગ્ન થયા હોય કે ન થયા હોય, સહમતિથી જાતીય સબંધને ખોટા ન ગણી શકાય : દિલ્હી હાઈકોર્ટ

જાતીય અપરાધોના ખોટા કેસો આરોપીની છબીને કલંકિત કરે છે અને સાચા કેસોની વિશ્ર્વસનીયતા પણ નષ્ટ કરે છે : દિલ્હી હાઈકોર્ટે દૂષ્કર્મના કેસમાં યુવકને જામીન આપ્યા

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : દૂષ્કર્મ સાથે જોડાયેલા એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે સુનાવણી દરમિયાન મહત્વની ટિપ્પણી કરી છે. અદાલતનું કહેવું છે કે જો બે પુખ્ત વયના લોકો સહમતિથી જાતીય પ્રવૃત્તિમાં જોડાય છે, તો તેમને ખોટા કામ માટે જવાબદાર ઠેરવી શકાય નહીં. દૂષ્કર્મના કેસમાં કોર્ટે યુવકને જામીન આપ્યા છે. આ દરમિયાન કોર્ટે એમ પણ કહ્યું હતું કે જાતીય અપરાધો સાથે જોડાયેલા ખોટા કેસો આરોપીની છબીને કલંકિત કરે છે.
જસ્ટિસ અમિત મહાજન કેસની સુનાવણી કરી રહ્યા હતા. લાઈવ લો અહેવાલ જસ્ટિસે જણાવ્યું કે, સમાજના ધારાધોરણો સૂચવે છે કે આદર્શ રીતે જાતીય સંબંધો લગ્નના માળખામાં જ થવા જોઈએ. જો બે પુખ્ત વયના લોકો વચ્ચે સહમતિથી જાતીય પ્રવૃત્તિ થઈ રહી હોય, તો કોઈને ખોટા કામ માટે જવાબદાર ઠેરવી શકાય નહીં. પછી ભલે તેમની વૈવાહિક સ્થિતિ કોઇપણ હોય. કોર્ટે કહ્યું કે જાતીય અપરાધોના ખોટા કેસો આરોપીની છબીને કલંકિત કરે છે અને સાચા કેસોની વિશ્ર્વસનીયતા પણ નષ્ટ કરે છે. દૂષ્કર્મના કેસમાં કોર્ટે યુવકને જામીન આપ્યા હતા. રિપોર્ટ અનુસાર, મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તે વ્યક્તિએ તેની સાથે ઘણી વખત બળજબરીપૂર્વક શારીરિક સબંધ બાંધ્યા અને તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો કે પછીથી તેને ખબર પડી કે આરોપી પરિણીત છે અને તેના બે બાળકો છે. મહિલાનો દાવો છે કે તે વ્યક્તિ તેની પાસેથી ગિફ્ટ માંગતો હતો અને કથિત રીતે તેણે તેને 1.5 લાખ રૂપિયા રોકડા પણ આપ્યા હતા. કોર્ટનું કહેવું છે કે કથિત ઘટના સમયે મહિલા પુખ્ત વયની હતી. સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે જામીન સમયે, તે સ્થાપિત કરી શકાયું નથી કે તેણીની સંમતિ લગ્નના વચનથી પ્રભાવિત હતી. કોર્ટે તેને તપાસનો વિષય ગણ્યો છે. રિપોર્ટ અનુસાર, કોર્ટે
કહ્યું, દેખીતી રીતે પીડિતા ફરિયાદ નોંધાવતા પહેલા થોડા સમય માટે અરજદારને મળી રહી હતી અને તે જાણ્યા પછી પણ સંબંધ ચાલુ રાખવા માંગતી હતી કે તે પરિણીત છે. કોર્ટે કહ્યું, …જામીન પર વિચાર કરતી વખતે કોર્ટ માટે કોઈ નિષ્કર્ષ પર પહોંચવું શક્ય નથી અને યોગ્ય પણ નથી. લગ્નનું વચન ખોટુ હતું અને તેનું પાલન કરવાના કોઈ ઈરાદા વગર ખરાબ વિશ્ર્વાસ સાથે કરવામાં આવ્યો હોવાના તારણ પર પહોંચ્યા હતા. પુરાવાઓનું મૂલ્યાંકન કર્યા પછી આવા નિર્ણયો લેવા જોઈએ.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર