શુક્રવાર, મે 17, 2024

ઈ-પેપર

શુક્રવાર, મે 17, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છજસદણના કમળાપુર ગામ પાસે ચાર દિવસ પૂર્વે અકસ્માતમાં ઈજા પામેલા પ્રૌઢાનું સારવારમાં...

જસદણના કમળાપુર ગામ પાસે ચાર દિવસ પૂર્વે અકસ્માતમાં ઈજા પામેલા પ્રૌઢાનું સારવારમાં મોત

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ જિલ્લાના ધોરી માર્ગો પર જીવલેણ અકસ્માતોની ઘટના રોજીંદી બની ગઈ છે ત્યારે ચાર દિવસ પહેલા જસદણના પારેવડા ગામેથી પગપાળા ધજાળા ગામે માનતા પુરી કરવા જતાં પ્રૌઢાને પાછળથી પૂરઝડપે આવતા બાઈક ચાલકે હડકેટે લેતા ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ જસદણના પારેવડા ગામે રહેતા લક્ષ્મીબેન માણસુરભાઈ ખાંભલા નામના રબારી પ્રૌઢાને ધજાળા ગામે ચાલીને જવાની માનતા હોય ગત તા. 27ના રોજ રાત્રીના નવ વાગ્યે પરિવારજનો સાથે ધજાળા ગામે માનતા કરવા જવા નિકળ્યા હતાં.
દરમિયાન જસદણના કમળાપુર ગામ પાસે રાત્રીના પુરઝડપે આવેલા બાઈકે પાછળથી લક્ષ્મીબેનને હડફેટે લેતા ગંભીર ઈજા સાથે પ્રથમ જસદણ અને ત્યાર બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ જેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે જસદણ પોલીસે રાજકોટ રહેતા રૂપાભાઈ માણસુરભાઈ ખાંભલા ઉ.વ.33ની ફરિયાદ પરથી બાઈક ચાલક વિપુલ ચનાભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જી નાશી છુટેલા બાઈક ચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર