શનિવાર, મે 18, 2024

ઈ-પેપર

શનિવાર, મે 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટમાંડાડુંગર પાસે પત્ની સાથે ઘર કંકાસમાં કમલેશ કોળીનો ગળેફાંસો ખાઇ આપઘાત

માંડાડુંગર પાસે પત્ની સાથે ઘર કંકાસમાં કમલેશ કોળીનો ગળેફાંસો ખાઇ આપઘાત

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ શહેરમાં માંડાડુંગર પાસે રહેતા યુવાને ઘર કંકાસમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. તેના મૃતદેહને સિવિલમાં ખસેડી પીએમ કરાવવા તજવીજ હાથ ધરાઇ છે. મળતી માહિતી મુજબ માંડાડુંગર પાસે પીઠડ આઇ સોસાયટી-2માં રહેતા કમલેશ પાંચાભાઇ ધોરાળીયા (ઉ.28)એ આજે સવારે પોતાના ઘરે પંખામાં દોરડુ બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે તેના પરિવારજનોને જાણ થતા આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી. સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો.
આજીડેમ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક કમલેશ બે ભાઇ અને બે બહેનમાં મોટો હતો. તે ઇમીટેશનનું કામ કરતો હતો. તેના લગ્ન બે વર્ષ પુર્વે થયા હતા. છેલ્લા ધણા સમયથી પત્ની સાથે ઘર કંકાસ ચાલતો હોય તેનાથી કંટાળીને આ પગલું ભરી લીધું હતું.
બીજા બનાવમાં ગોંડલ રોડ પર ગુલાબનગરમાં રહેતો સોમનાથ શંકર ચૌહાણ (ઉ.25) નામનો પરપ્રાંતિય મજુર પાણીના ટાંકામાં પડી જતા ગુંગળાઇ જવાના કારણે બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. આ અંગે આજીડેમ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક માનસિક બીમારીથી પીડાતો હતો. તેનું મોત ક્યાં કારણોસર થયું તે જાણવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર