શનિવાર, મે 18, 2024

ઈ-પેપર

શનિવાર, મે 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeલાઇફસ્ટાઇલશું તમે પણ સવારે બ્રશ કર્યા વિના પાણી પીવો છો, તો શરીર...

શું તમે પણ સવારે બ્રશ કર્યા વિના પાણી પીવો છો, તો શરીર પર તેની શું અસર થાય છે, જાણો યોગ્ય રીત

નવી દિલ્હી : શું તમે પણ સવારે ઉઠીને સૌથી પહેલા દાંત સાફ કર્યા વગર પાણી પીવો છો? જો હા તો તે કેટલું યોગ્ય છે જાણીએ,? ખરેખર, ઘણા લોકો સવારે ઉઠીને ખાલી પેટે પુષ્કળ પાણી પીવે છે. તેમનું માનવું છે કે આનાથી શરીરમાંથી ગંદકી નીકળી જાય છે. ડૉક્ટરો કહે છે કે, દિવસમાં ઓછામાં ઓછું 10-12 ગ્લાસ પાણી પીવું જોઈએ, પરંતુ શું બ્રશ કર્યા વિના પાણી પીવું જરૂરી છે કે તેમાં કોઈ નુકસાન છે. ચાલો જાણીએ

વહેલી સવારે પાણી પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. અને તમારા શરીરને દિવસભર હાઇડ્રેટેડ રાખે છે. આમ કરવાથી પેટ સંબંધિત કોઈ સમસ્યા નથી થતી. તમારી ત્વચા હંમેશા ચમકદાર રહે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે દાંત સાફ કર્યા વગર પાણી પીવું ફાયદાકારક છે. તેનાથી પાચન શક્તિ મજબૂત બને છે. સવારે દાંત સાફ કરતા પહેલા પાણી પીવાથી શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે.

જો તમે દાંત સાફ કર્યા વગર સવારે ઉઠ્યા પછી ખાલી પેટે પાણી પીવો છો તો તમારી રોગપ્રતિકારક શક્તિ વધુ મજબૂત બને છે. તમે સરળતાથી શરદી, ઉધરસ અને ફ્લૂનો શિકાર નથી થતા અને બીજી ઘણી બીમારીઓ શરીરથી દૂર રહે છે. લાંબા, જાડા વાળ અને ચમકતી ત્વચા માટે સવારે દાંત સાફ કરતા પહેલા પાણી પીવું ફાયદાકારક છે. તેનાથી પેટની દરેક સમસ્યા પણ દૂર થઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશર અને શુગરના દર્દીઓએ સવારે દાંત સાફ કરતા પહેલા પાણી પીવું જોઈએ. આમ કરવાથી તેમનું બીપી નિયંત્રણમાં રહે છે. આ આદતથી સ્થૂળતા નથી થતી અને વજન જળવાઈ રહે છે.

જો તમને શ્વાસની દુર્ગંધ આવતી હોય તો સવારે ઉઠ્યા પછી એક ગ્લાસ નવશેકું પાણી પીવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, રાત્રે સૂતી વખતે, મોંમાં લાળની ઉણપ હોય છે, જેના કારણે મોં શુષ્ક થઈ જાય છે અને ઘણા પ્રકારના બેક્ટેરિયા વધે છે, જેના કારણે મોંમાંથી દુર્ગંધ આવવા લાગે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર