શનિવાર, મે 18, 2024

ઈ-પેપર

શનિવાર, મે 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટકાલાવડ રોડ પર રહેતા 18 વર્ષના નેપાળી યુવકે ઉંદર મારવાની દવા પી...

કાલાવડ રોડ પર રહેતા 18 વર્ષના નેપાળી યુવકે ઉંદર મારવાની દવા પી લેતા સારવારમાં

ભરવાડ વસતીના સંજુ પટીયા યુનિ.રોડ પર મિત્રને મળવા ગયો હોય ત્યારે પગલું ભરી લીધું : ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી

(આઝાદ સંદેશ),રાજકોટ: શહેરના કાલાવડ રોડ પર રહેતા 18 વર્ષના નેપાળી યુવાને ઉંદર મારવાની દવા પી લેતા તેને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. મિત્રને મળવા ગયો ત્યારે પગલું ભરી લીધું હોય જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ કાલાવડ રોડ પર ભરવાડ વસતીમાં રહેતો સંજુ ભોજબહાદુર પટીયા (ઉ.18) નામનો નેપાળી યુવાન યુનિ.રોડ પર જસ્ટ ટોક નામની દુકાને ઉંદર મારવાની પી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્5િટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, સંજુ બે ભાઇ અને ત્રણ બહેનમાં વચેટનો છે. તે શાપરમાં આવેલી હોટલમાં નોકરી કરે છે. તે જસ્ટ ટોક નામની દુકાને પોતાના મિત્રને મળવા ગયો હોય ત્યારે પગલું ભરી લીધું હતું. જો કે, તેના આપઘાતના પ્રયાસ પાછળનું કારણ શું હતું તે જાણવા તજવીજ હાથ ધરવામાં આવી છે. બીજા બનાવમાં 150 ફુટ રીંગ રોડ પર ઓમનગર પાસે પુનિતનગર સોસા-8માં રહેતા ક્રિષ્ના મનસુખભાઇ વડુકર (ઉ.40) નામની મહિલાએ ગઇકાલે બપોરના ઓમનગર સર્કલ પાસે કોઇ કારણસર ઝેરી દવા પી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ત્રીજા બનાવમાં શહેરના મોરબી રોડ પર વેલનાથ સોસા-20માં રહેતા માયાબેન ગોપાલભાઇ ગોહેલ (ઉ.35)એ ગઇકાલે સાંજે પોતાના ઘરે કોઇ કારણસર ફીનાઇલ પી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી બી ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ચોથા બનાવમાં કોઠારીયા સોલવન્ટ પાસે શીતળાધારમાં રહેતી કાજલ અચ્છેલાલ પ્રસાદ (ઉ.16) નામની સગીરાએ ગઇકાલે બપોરે પોતાના ઘરે કોઇ કારણસર ઝેરી દવા પી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર