શનિવાર, મે 18, 2024

ઈ-પેપર

શનિવાર, મે 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છમાણાવદર-બાંટવામાં ભાજપને સર્વ સમાજનો સાથે છીએનો કોલ…

માણાવદર-બાંટવામાં ભાજપને સર્વ સમાજનો સાથે છીએનો કોલ…

મુસ્લિમ સમાજનું પણ વિકાસ અને નરેન્દ્ર મોદીને મત આપવાનુ મન

(આઝાદ સંદેશ), રાજકોટ : 11-પોરબંદર લોકસભામાં આવતા જુનાગઢ જિલ્લાના માણાવદર અને બાંટવામાં ભાજપ ઉમેદવાર ડો. મનસુખ માંડવિયા અને વિધાનસભા ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીનો લોકસંપર્ક તથા રોડ શોના કાર્યક્રમ યોજાયા. માણાવદરમા વહેલી સવારથી જ લોકો રેલીમાં જોડાવા ઉત્સુક હતા સવારે 9 વાગે ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પ્રણામ કરી યાત્રા શરુ થઇ હતી જે માણાવદરની બજારોમાં ફરી, સમગ્ર લોકસભા વિસ્તારમાં જે ઉમંગ છે એનાથી બમણો ઉત્સાહ અહીં જોવા મળ્યો હતો કારણકે અહીં વિધાનસભા અને લોકસભા બંને માટે ચૂંટણી છે,લોકો ડબલ એન્જીનની સરકાર સાથે માણાવદરનું એન્જીન જોડી દઈને વિકાસ ઈચ્છી રહ્યા છે. તો ડોક્ટર મનસુખભાઇ માંડવિયા જેવા ઉમેદવાર ભાગ્યે જ મળે એ ભાવ અહીંની જનતામાં છે અને એટલે જ અહીં ખુબ મોટી લીડ થી બંને ઉમેદવારને જીતાડવાનો માહોલ છે. અહીં મુસ્લિમ સમાજના લોકોને પણ પૂછતાં તેઓ નરેન્દ્ર મોદીના શાશન અને વિકાસને મત આપવાના મન જણાયા હતા. ડો. માંડવિયા સાથે અહીંના ઉમેદવાર અરવિંદ લાડાણી,જૂનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટભાઈ પટેલ,ડેરી ચેરમેન દિનેશભાઇ ખટારીયા,સંગઠન હોદેદારો ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે બહોળી સંખ્યામાં આગેવાનો અને લોકો જોડાયા હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર