મુંબઈ : વિક્રાંત મેસી પોતાની વધુ એક ફિલ્મથી દર્શકોના દિલ પર રાજ કરવા માટે તૈયાર છે. વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ’12th Fail’ની સફળતા બાદ હવે તેની વાસ્તવિક જીવનની ઘટના પર આધારિત વધુ એક ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ આવી રહી છે. આજે ફિલ્મનું ધમાકેદાર ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મ સત્ય ઘટના પર બની છે. આ ફિલ્મના લીડ રોલમાં વિક્રાંત મેસી સહિત રિદ્ધિ ડોગરા અને રાશિ ખન્ના છે. ફિલ્મમાં ગોધરા અગ્નિકાંડની સ્ટોરી બતાવવામાં આવી છે. આ ઘટના 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરા રેલવે સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસમાં ઘટી હતી.
‘ધ સાબરમતી રિપોર્ટ’ના ટીઝરમાં 22 વર્ષથી છુપાયેલી સ્ટોરીની ઝલક બતાવવામાં આવી છે. ટીઝરમાં લીડ એક્ટર વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા જેવા સ્ટાર્સની દમદાર કાસ્ટ નજર આવી રહી છે. ડાયલોગ ટીઝરના વિઝ્યુઅલને ડબલ ધમાકેદાર બનાવી રહ્યા છે. ટીઝરની જેમ જ આખી ફિલ્મ પણ ખૂબ જ ખાસ બનવાની છે. ફિલ્મની સ્ટોરી ખૂબ જ રસપ્રદ નજર આવી રહી છે.
રિલીઝ થયેલા આ ભયાનક ટીઝરની શરૂઆત રિદ્ધિ ડોગરા અને વિક્રાંત મેસીથી થાય છે. રિદ્ધિ વિક્રાંતને પૂછે છે કે, ન્યૂઝ શું છે? તેનો જવાબ વિક્રાંત પોતાના અંદાજમાં આપે છે. ત્યારબાદ ટીઝરમાં સળગતી ટ્રેન અને લોકોના મૃત્યુ તથા લોકોની ચીસો પાડવાનો અવાજ આવે છે. આ સાથે જ શરૂ થાય છે સાબરમતીમાં લાગેલી આગનું ઈન્વેસ્ટીગેશન અને તેમાં સળગીને મૃત્યુ પામેલા 59 લોકોની દુ:ખદ કહાની. આ ફિલ્મ ડાયરેક્ટર રંજન ચંદેલ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી રહી છે જ્યારે એકતા કપૂર તેને પ્રોડ્યુસ કરી રહી છે. આ ફિલ્મ 3 મે, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.