પહેલગામમાં આતંકવાદી હુમલામાં 26 મૃતકોના નામની સંપૂર્ણ યાદી: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ હુમલામાં આતંકવાદીઓએ ફક્ત પુરુષો પર જ હુમલો કર્યો હતો. આતંકવાદી હુમલાના ભોગ બનેલા મોટાભાગના પ્રવાસીઓ રહ્યા છે. મૃતકોમાં ગુજરાતના 3 પ્રવાસીઓનો સમાવેશ થાય છે જ્યારે પહેલગામના રહેવાસી સૈયદ આદિલ હુસૈન શાહનો પણ સમાવેશ થાય છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ હુમલામાં આતંકવાદીઓએ ફક્ત પુરુષો પર જ હુમલો કર્યો હતો. આતંકવાદી હુમલાના ભોગ બનેલા મોટાભાગના પ્રવાસીઓ રહ્યા છે. મૃતકોમાં ગુજરાતના 3 પ્રવાસીઓનો સમાવેશ થાય છે જ્યારે પહેલગામના રહેવાસી સૈયદ આદિલ હુસૈન શાહનો પણ સમાવેશ થાય છે.
આતંકવાદી હુમલામાં મહારાષ્ટ્રના પાંચ લોકોનાં મોત થયાં. હેમંત સુહાસ જોશી અને સંજય લક્ષ્મણ લાલી મુંબઈના રહેવાસી હતા. જ્યારે અતુલ શ્રીકાંત મોની, સંતોષ જગડા, કસ્તુબા ગાંવવોટે પણ મહારાષ્ટ્રના રહેવાસી હતા. આ આતંકવાદી હુમલામાં ઇન્દોરના સુશીલ નાથાનીએલનું પણ મોત થયું હતું. તે તેની પત્નીનો જન્મદિવસ ઉજવવા કાશ્મીર ગયો હતો. સુશીલ LIC ના બ્રાન્ચ મેનેજર હતા.
માર્યા ગયેલાઓમાં પહેલગામના સૈયદ આદિલ હુસૈન શાહનો પણ સમાવેશ થાય છે. આતંકવાદીઓએ પહેલગામમાં ફક્ત પુરુષોને જ નિશાન બનાવ્યા છે. તેમણે મહિલાઓ પર ગોળીબાર કર્યો ન હતો.