મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન બન્યા છે. IPL 2025 ની વચ્ચે, ધોનીને અચાનક ફરી એકવાર ચેન્નાઈની કેપ્ટનશીપ મળી ગઈ છે. ચેન્નઈને પાંચ આઈપીએલ ખિતાબ અપાવનાર એમએસ ધોની લગભગ દોઢ સીઝન પછી ટીમના કેપ્ટન તરીકે પરત ફરી રહ્યો છે. આનું કારણ નિયમિત કેપ્ટન રુતુરાજ ગાયકવાડની ઈજા છે, જે હવે આખી સીઝનમાંથી બહાર છે. આ સાથે, ટુર્નામેન્ટની મધ્યમાં ધોનીના નિવૃત્તિ અંગેની અટકળો અને અફવાઓનો પણ અંત આવ્યો છે.
IPL 2025 માં ખરાબ શરૂઆત સાથે સંઘર્ષ કરી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે, આ સમાચાર મહત્વપૂર્ણ મેચ પહેલા આવ્યા છે. ચેન્નાઈની છઠ્ઠી મેચ શુક્રવાર, ૧૧ એપ્રિલના રોજ રમાશે અને તેના એક દિવસ પહેલા ટીમમાં આ મોટો ફેરફાર થયો છે.(આ બ્રેકિંગ ન્યૂઝ છે. સમાચાર અપડેટ થઈ રહ્યા છે)