માધાપર ચોકડી પાસે આવેલ વિનય વાટીકામાં રહેતા હિતેશભાઈ કાનાબાર (ઉ.વ.46) પરા પીપીળિયા પાસે ધસમસતી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતાં ચકચાર : હિતેશભાઈના મૃત્યુથી પત્ની અને બે પુત્રી સહિતનો પરિવાર શોકમાં ગરકાવ
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમાં આર્થિકભીંસથી કંટાળી એક આધેડ રાત્રીના બાઇક લઇને ઘરેથી નિકળી ગયા હતા અને ટ્રેન આવતાની સાથે જ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત વ્હોરી લીધો હતો. પ્રૌઢના મોતથી પરીવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
મળતી વિગત મુજબ રાજકોટમા માધાપર ચોકડી પાસે આવેલ વિનય વાટીકામા રહેતા હિતેશભાઇ ઘનશ્યામભાઇ કાનાબાર નામના 43 વર્ષના પ્રૌઢે રાત્રીના દસેક વાગ્યાના અરસામા પરાપીપળીયા પાસે ટ્રેન હેઠળ જંપલાવી આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે જાણ થતા પરીવારજનો અને પોલીસ કાફલો તાત્કાલીક દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી પ્રૌઢના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. આ અંગે પ્રાથમિક પુછપરછમા મૃતક હિતેશભાઇ કાનાબાર બે ભાઇમા મોટા હતા અને સીમેન્ટની કંપનીમા નોકરી કરી પરીવારનુ ગુજરાન ચલાવતા હતા. મૃતક હિતેશભાઇ કાનાબારને સંતાનમા બે પુત્રી છે. હિતેશભાઇ કાનાબારે આર્થિકભીંસથી કંટાળી રાત્રીના પોતાના ઘરેથી બાઇક લઇને નીકળી ગયા હતા અને પરાપીપળીયા ફાટક પાસે બાઇક ઉભુ રાખી ટ્રેન આવતાની સાથે જ ટ્રેન નીચે જંપલાવી આત્મઘાતી પગલુ ભર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.